માનવવિકાસ વિકાસ ભળી ડગ
માંડીએ...
વ્યક્તિના રક્ષણની
સાથે તેનાં કલ્યાણની પણ જવાબદારી બંધારણે સરકારને શિરે મૂકી છે. અને તેથી જ તો
કશુક બરાબર ન થયું તો સરકાર પર સીધો દોષનો ટોપલો ઠાલવતા આપણને સહેજ પણ સમય લાગતો
નથી. ભારતનું બંધારણ વાંચીએ કે નહિ પણ
સરકારની શું જવાબદારી છે તે તો આપણને ખ્યાલ આવી જ જાય છે. સતત સરકાર સામે અસંતોષની
વાત જયારે કાને અથડાયા કરે છે તો એક બાબત પર તો ચોક્કસ વિચારવાનું રહ્યું કે શા
માટે આ પ્રકારની વ્યવસ્થા ઉભી થઇ છે ? કારણકે સરકાર પણ કશું જ નથી કરતી એવું તો
નથી જ.... ભલે તે સંપૂર્ણ ઉદેશ્ય પૂર્ણ ન કરતી હોય પરંતુ અમુક સ્તરે તો તે
કાર્યક્રમો ઘડતી હોય છે. પરંતુ જેટલું તે કરે છે તેટલું પણ ન તો નાગરિકો સમક્ષ
પહોચે છે અને ન તો નાગરિકોને સરકાર તરફથી સંતોષ થાય છે. સતત અસંતોષની ભાવના રહ્યા
જ કરે છે. જેમકે હમણાં જ આંગણવાડી ની મુલાકાત લેવાનું થયું. જોયું તો અનેક
પ્રકરના રચનાત્મક બદલાવ લાવવામાં આવ્યા
છે. એવું જ પ્રાથમિક શાળામાં પણ બન્યું છે. તો આશા અને ઉષા વર્કર જેવા કાર્યકરો પણ
અનેક નાણા પણ મહત્વના કાર્ય ગ્રામ્યસ્તરે કરી રહ્યા છે.
પરંતુ આમ છતાંય
ગામના તો વર્ષોથી ચાલી આવતા પ્રશ્નો એમ ને એમ ઉભા જ છે. સ્વરછ -પૂરતું પીવાનું
પાણી, બી.પી.એલ માં જરૂરિયાતમંદ લોકો નથી, પ્રાથમિક આરોગ્ય ની સેવાઓ, શિક્ષણ,
તલાટી નિયમિત નથી, રોજગારી જેવા પાયા પ્રશ્નો માટે વ્યક્તિ સતત સંઘર્ષ કરી રહ્યો
છે. આ ઉપરાંત વ્યક્તિલક્ષી યોજનાઓ ના લાભાર્થી પણ માંડ લાભ મેળવે છે તો કોઈક તો
દુર થી જ સલામ કરી મૂકી દે કે કાગળિયાં માં જ સમય અને નાણા બંને વપરાઈ જશે;
દેશની વાત કરવી
હોય તો ગામડાને જ કેન્દ્રમાં રાખવું પડે. જેમકે ગ્રામપંચાયત ની વાત કરીએ તો તેનો
મુખ્ય ઉદેશ્ય સામાજિક ન્યાય અને આર્થિક વિકાસ છે. લગભગ પંચાયત તેને ગામલોકો થી સહકાર
નથી મળતો અને જે ગ્રામવિકાસના કામો માટે ઠરાવો થાય છે તે પ્રમાણે કામ થતું નથી એવો
અભિપ્રાય આવતો હોય છે. તો ગામના લોકોને પણ ઉપર જણાવ્યું તેમ પ્રશ્નો સતત મૂંઝવતા
હોય છે. આ બંને વાસ્તવિક પરિસ્થિતિ છે. પણ આ પરિસ્થિતિ પાછળ કયા જવાબદાર ઘટકો છે
તે સમજવા ચોક્કસ જરૂરી છે.
વિકાસના અમલમાં
વિકેન્દ્રિત આયોજન, વહીવટ, વ્યવસ્થા અને સાશનની ખુબ જ મહત્વની ભૂમિકા છે. અને
તેમાં ગળબળ ક્યાં થાય છે તે સમજવાની જરૂર છે. સૌ પ્રથમ તો જેને સતા આપવામાં આવી છે
તેની તેણે ગંભીરતા નથી અને બીજું આપણને તે વ્યવસ્થામાં વિશ્વાસ નથી. આજે ગામના
સરપંચ નો હોદો મેળવવા જે નાણા વપરાય છે, અને સ્પર્ધા થાય છે તેટલી જ ગંભીરતા અને
મહત્વતા તે હોદો મળતા વધી જવાને બદલે જાણે ઓછી થઇ જતી હોય છે. પાંચ વર્ષમાં
વિકાસના કામો કરી પોતાની આગવી છબી છોડવાને બદલે ગામ માં કશુજ નવું સાહસ કરવાને
બદલે જે ચીલાચાલુ ચાલ્યા કરે છે તે જ કામ કરીને સંતોષ માની બેસતા હોય છે. એ જરૂરી
નથી ક દરેક સમયે સરપંચનો જ વાંક હોય. જેમ આગળ જણાવ્યું તેમ ગામના પ્રશ્નો પણ અનેક
છે. જેના લીધે કાર્ય આગળ ધપતું નથી.
અમુક ગામની
મુલાકાત અને તેમના લોકોના અનુભવોની વાત અહી મૂકુ છું. જેના પરથી પણ ચોક્કસ બાબતો
વિચારવાની આવે છે.
અમે એક સરપંચને
મળ્યા તેમને સરપંચ તરીકે ૩ વર્ષથી વધારે સમય થયો હતો, અમે પૂછ્યું કે તમારા આવ્યા
પછી ગામ માં શું કામ થયું? તો જાણવા મળ્યું કે છેલ્લા ૩ વર્ષ માં ૩એક પણ વિકાસનું
કામ નથી થયું, એની સામે તેમણે જણાવ્યું કે ૨ લાખ ઉપર અમે ખર્ચો કરી નાખ્યો હતો
સરપંચ બનવા માટે...
બીજા ગામ માં
કહ્યું લાખો રૂપિયા ખર્ચ્યા પણ આજે ગામ માં કામ હોય તો ન તો તલાટી કઈ સલાહ- સુચન
કરે, અને અમને પૂછ્યા વગર જ બહાર થી જ બધું કામ થઇ જાય.. હવે કોણ ગામમાં ઝગડા ઉભા
કરે,,, એક જ વર્ષ છે એને હવે કાઢ્યે છુટકો...
તો વળી એક ગામ
માં આખી મહિલાની બોડી, તેમણે તો કહ્યું ચાર વર્ષ થયા છે, મહિલા સમરસ ના પૈસા પણ
હજી એમજ પડ્યા છે, સરપંચ પતિ ને ગામ ના વિકાસ માં રસ જ નથી...
તલાટી નથી આવતા,
બી.પી,એલ.ના નામ સુધારવાની જરૂર છે, યોજનાકીય માહિતી નથી મળતી, ગામમાં દારૂ નો ખુબ
પ્રશ્ન છે.. પાણી નથી, રોજગારી નથી.... આવી તો મોટી યાદી બની શકે એમ છે.
આ પ્રકારની
પરિસ્થિતિ ધરાવતા ગામો માં માત્ર એક તરફી કાર્ય કરવાની કે બદલવાની જરૂર નથી. જેમાં
સરકાર, ગ્રામસભા અને ગ્રામપંચાયત એમ દરેક સ્તરે પરિવર્તન ની જરૂર છે. માનસકિતા
બદલાવની વાત પણ છે.
જયારે સરકાર તરફી
જોઈએ તો આ દરેક માટે યોજના છે, વ્યવસ્થા છે. પણ તે સિસ્ટમમાં કામ થતું નથી. આપણે
સંસદ આદર્શ ગામ ની જ વાત કરીએ. આ યોજના માટે કોઈ જ અલગથી ગ્રાન્ટ ફાળવવામાં નથી
આવી, કારણકે સરકાર ખુદ માને છે કે ગામ વિકાસ માટે પુરતી યોજનાઓ છે, માત્ર તેનો અમલ
થાય એ જરૂરી છે. પરંતુ આજ અમલ શા માટે દરેક ગામ માં થતો નથી? શા માટે દરેક ગામ
આદર્શ ગામ ન બને???
·
સુશાસન ખરા અર્થમાં અમલી
બનાવવાની જરૂર છે. વહિવટ છે એટલે સતાધીશ છે તે માનસિકતા તથા વ્યવહાર બંને ને
બદલવું પડશે. ખરા અર્થમાં જે લોકશાહી ની પદ્ધતિ છે તેને સમજવાની અને તેમાં વિશ્વાસ
રાખવાની જરૂર છે. આજે જેના હાથ માં વહીવટ છે તે સતાધીશ બની વ્યવસ્થાને તોડી રહ્યો
છે.
·
બીજું સુશાસન માટે જરૂરી પાયાના સિધાંતો છે, પારદર્શિતા,
ઉત્તરદાયિત્વ, સહભાગિતા અને વિકેન્દ્રીકરણ. જેમાં અનેક સ્તરે ખામી છે. ગામનું
આયોજન ગ્રામસભામાં નક્કી થાય પરંતુ કેટલા ગામમાં આ પ્રક્રિયા થાય છે?
·
પંચાયત નો વહીવટ માત્ર નહિ પણ તેનાં ઉદેશ્ય ને પદ્ધતિસર
રીતે લોકોને સમજ આપવામાં આવે એ જરૂરી છે.
·
નાગરિક તરીકેની વ્યકતિગત ફરજો ની સાથે સમગ્ર ગામ તરીકે શું
જવાબદાર છે તે દ્રષ્ટિકોણ વિકસાવવાની જરૂર છે.
·
બંધારણે કહ્યું છે તેમ કોઈ વ્યક્તિનું અહી સાશન નથી પણ કાયદાનું
સાશન છે. પરંતુ આ કાયદાની જેટલી જોઈએ તેટલી અસરકારકતા નથી. તેનાં પાછળ પણ અમુક
જવાબદાર ઘટકો છે. જેમકે, કાયદો છે પણ સારો નથી, સારો છે તો અમલ થતો નથી, અને ઘણી
વખત તેની સજા થવી જોઈએ તે થતી નથી. આ માટે જ વ્યવસ્થા બરાબર ચાલતી નથી.
·
જ્યાં વિકાસ માટે પરિયોજનાઓ ઘડાય છે ત્યાં વ્યક્તિના વિકાસને
બદલે સિસ્ટમના વિકાસને એટલું મહત્વ આપી દઈએ છીએ કે વ્યવસ્થા કેન્દ્ર માં આવી જાય
છે અને વ્યક્તિ ખોવાઈ જાય છે.... તેથી જ વિકાસ દેખાતો નથી...
·
ખાસ સમજવાની બાબત એ છે કે વિકાસની પરિભાષામાં કોને કેટલું
મહત્વ અપાય ? શું માત્ર આર્થિક વિકાસ, જી.ડી.પી. વધતા દેશનો વિકાસ થયો છે તે કહી
શકાય ખરું??? આજે કૃષિ, પશુપાલન જેવા પરંપરાગત વ્યવસાય ના વિકાસ ને બદલે મનોરંજન
જેવા માધ્યમોનો આર્થિક દર ખુબ ઉંચો છે,, જે કોઈ જ પ્રોડકટીવ નથી. જે યોગ્ય ન
કહેવાય...
આમ વિવિધ સ્તરે
બદલાવ ની જરૂર છે... વ્યક્તિ શરૂઆત કરવી પડશે... અને વ્યવસ્થામાં તેણે લાવવી પડશે.
તથા આર્થિક વિકાસ દર ને બદલે વ્યક્તિનું સુખ એ સુત્ર સાથે વિકાસ ની દિશામાં ડગ
માંડશું.. તો માનવ વિકાસ ભળી આગળ વધશું એવું નથી લાગતું ???
ક્રિષ્ના